સ્વાસ્થ્ય

કરો આ કારગર આયુર્વેદિક ઔષધીનુ સેવન જો તમે લીવર અને હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાવ છો

મિત્રો, શીલાજીતનુ નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યુ જ હશે. આપણા દેશમા તેને વાયગ્રા તરીકે ઓળખવામા આવે છે. તેના ઉપયોગથી તમારી ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે.આ સિવાય તેના નિયમિત સેવનથી તમને અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફક્ત શારીરિક ક્ષમતા વધારવા માટે કરે છે પરંતુ, વાસ્તવિકતા એ છે કે, તે આ સિવાય પણ ઘણી બીમારીઓના નિદાન માટે ફાયદાકારક છે અને આયુર્વેદમા પણ તેના સેવનથી થતા અનેકવિધ ફાયદાઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

image source

સામાન્ય રીતે ઘેરા અને ભૂરા રંગની દેખાતી આ આ ઔષધી સ્વાદે ખુબ જ કડવી અને ગરમ હોય છે. જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે તેમાંથી ગૌમૂત્રની ગંધ આવે છે. તે હિમાલયના પ્રદેશોમાં જોવા મળતો એક કાળો પદાર્થ છે. તે પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો ધરાવે છે. આપણા ભારતીય બજારમા તેની કિંમત ઘણી વધારે છે. આયુર્વેદમા પણ તેનો ઉલ્લેખ કરવામા આવેલ છે. હજારો વર્ષોથી લોકો તેનું સેવન કરે છે. હાલ, થોડા સમય પહેલા એક સર્વેમા એવુ બહાર આવ્યું હતુ કે, તેનુ સેવન તમારા તણાવને ઘટાડવામા ખુબ જ મદદગાર સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા આ ઔષધીના સેવનથી થતા લાભ-ગેરલાભ વિશે માહિતી મેળવીએ.

image source

ફાયદા :

આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ અલ્ઝાઇમર જેવી બીમારીઓના નિદાન માટે પણ થાય છે. આ બીમારી એ માનસિક વિકારનો એક પ્રકાર છે, જેમા મેમરી, વર્તન અને વિચારવાની ક્ષમતામા સમસ્યા હોય છે. આ સમસ્યા માટે અનેકવિધ દવાઓ ઉપલબ્ધ છે પરંતુ, કેટલાક સંશોધનકારો એવુ માને છે કે, શીલાજિત એ અલ્ઝાઇમરની સમસ્યાને વધતા અટકાવે છે. આ ઉપરાંત જો તમે આ ઔષધિને દૂધમા મિક્સ કરો અને તેનું સેવન કરો તો તે વીર્યમા પણ વૃદ્ધિ લાવે છે.

image source

આ સિવાય તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે હૃદય, ફેફસા, યકૃત અને ત્વચામાં વૃદ્ધત્વ પ્રક્રિયાને અટકાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. વિશેષ તેમા સમાવિષ્ટ ઝીંક અને મેગ્નેશિયમ ટેસ્ટોસ્ટેરોનની ઉણપને દૂર કરવા માટે એક ઔષધ તરીકે કામ કરે છે. આ ઔષધિનુ સેવન કરવાથી શરીરના ઉર્જાના સ્તરમા વધારો થાય છે અને લોહીમાં શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય તે ડાયાબિટીઝ જેવા રોગોથી પીડિત લોકો માટે પણ ઔષધ સાબિત થઈ શકે છે.

image source

આડઅસર :

જો તમે આ ઔષધિનુ વધારે પડતુ સેવન કરો તો તેના કારણે હાથ, પગ અને પેટમાં ભારેપણાની લાગણીનો અનુભવ થાય છે. આ સિવાય શરીરનુ તાપમાન સંતુલિત ના હોવાને કારણે તમારો મૂડ પણ બગડી શકે છે. આ સિવાય માથાના દુ:ખાવો જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. આ સિવાય તેના વધુ પડતા સેવનના કારણે તમને ઉલટી પણ થઈ શકે છે તથા તમારો સ્વભાવ ચંચળ બની શકે. આ સિવાય તેના વધુ પડતા સેવનથી એલર્જીને કારણે ત્વચામાં બળતરા, ફોલ્લીઓ અને બળતરા દેખાઈ શકે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.