મિત્રો, આજે ધનતેરસ નો પવિત્ર પર્વ છે ત્યારે આજ રોજ માતા ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર ની વિશેષ પૂજા કરવામા આવે છે. દીપાવલી નો પવિત્ર પર્વ એ ધનતેરસ ના દિવસથી જ શરૂ થાય છે. આ પર્વ મુખ્યત્વે માતા ધન્વંતરી ને સમર્પિત છે. આ દિવસે અમુક વિશેષ ચીજો ખરીદવાની પૌરાણિક પરંપરા છે.
આપણા પુરાણોમા પણ કહેવામા આવ્યુ છે કે, માતા ધન્વંતરી એ સમુદ્રમંથન દરમિયાન અમૃત સાથે પ્રગટ થયા હતા. આ પાવન અને પવિત્ર દિવસે અનેકવિધ ચીજવસ્તુઓ ખરીદવાની પ્રાચીન પરંપરા છે ત્યારે આંજે અમે તમને એક વિશેષ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની આ પવિત્ર દિવસે ખરીદી કરવામાં આવે તો અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ?
આ વિશેષ વસ્તુ ખરીદવાની પૌરાણિક પરંપરા :
આ પવિત્ર પર્વના દિવસે ઝાડુ ખરીદવાની પ્રાચીન પરંપરા છે. આપણા પુરાણોમા કહેવામા આવ્યુ છે કે, આ પર્વ પર આ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મી તમારા ઘરમા વાસ કરે છે અને તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આ સિવાય પણ એક રિવાજ છે કે, જ્યારે પણ તમે ઘરમા સાવરણી લઈ આવો ત્યારે તેના પર સફેદ દોરો બાંધી લો. આપણા પુરાણોમા આ પર્વના દિવસે એક નહીં પણ ત્રણ સાવરણી ખરીદવી જોઈએ. આ સિવાય દીપાવલીના શુભ પર્વના દિવસે આજના દિવસે ખરીદેલી સાવરણી થી મંદિરની સફાઇ પણ શુભ માનવામાં આવે છે.
પૂજા માટેનો શુભ સમય :
આજે પૂજન નો શુભ સમય સાંજે ૫:૩૨ થી સાંજે ૫:૫૯ સુધીનો છે. આ સમય દરમિયાન ધનવંતરી એટલે કે માતા લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team