ધાર્મિક

માધવપુર : માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન

ગુજરાતના પોરબંદર જિલ્લામાં પોરબંદરથી અગ્નિ દિશામાં ‘માધવપુર’ પૌરાણિક સ્થાન છે. માધવપુર ગામમાં મૂળ માધવરાયનું પુરાણું મંદિર છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રૂપાળીબાયે હવેલી સ્વરૂપે દરિયા કિનારે નવું મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં માધવરાય (શ્રી કૃષ્ણ) અને ત્રિકમરાય (બળરામ) બંધુ બેલડીની માનવ કદની મૂર્તિઓ પધરાવેલ છે. સમગ્ર ભારતમાં આવી બેવડી મૂર્તિ કયાંય જોવા મળતી નથી.

માધવપુરમાં ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ-કીર્તનનો પાંચદિવસનો મેળો ભરાય છે. જે તેરસના દિવસે પૂર્ણ થાય છે. “માધવપુરનો માંડવોને જાદવકુળની જાન” કહેવત પ્રચલિત બની છે.
લગભગ તેરમી સદીની આસપાસ મેળાની શરૂઆત થયેલી છે. સૌરાષ્ટ્રના ‘ઘેડ’ પ્રદેશમાં ભરાતા આ મેળાની કથા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નપ્રસંગ સાથે સંકળાયેલ છે.

રાજકુમારી રૂક્ષ્મણીનું ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીએ ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા. અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. તેની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું નીકળે છે. ફુલેકાની ઉજવણી ત્રણેત્રણ દિવસ ચાલે છે. ત્યારબાદ જાન આગમન, સામૈયાં, લગ્નવિધિ, કન્યાવિદાયનો પ્રસંગ યોજાય છે.

શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન જયાં થયા એ સ્થળ ‘રૂક્ષ્મણીમઠ’ તરીકે ઓળખાય છે. રૂક્ષ્મણીજી અરૂણાચલ પ્રદેશના ભીષ્મકનગરના રાજા ભીષ્મકની પુત્રી હોવાવાનું કહેવાય છે. મેળામાં રબારી, મેર, આહિર અને કોળીઓ અલગ ભાત પાડતાં ‘અસલ સોરઠી મેળો’ માણવા મળે છે.

વર્ષ ૨૦૧૮માં યોજાયેલ મેળામાં રૂક્ષ્મણીજીના પરિવારના પ્રતિનિધિ તરીકે પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, મણિપુર વગેરે રાજયના ૧૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

લેખક – રાઘવ વઢિયારી

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Jiglo

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.