લાખો લોકો જેમના ભજનો ના ચાહક છે એવા સાધ્વી “જયા કિશોરી”, જાણો તેમના વિશે…

જયા કિશોરી એ ફક્ત ૭ વર્ષની વયે અધ્યાત્મના પંથે ચાલી નીકળેલ. તેણે પોતાની કથાઓ તથા ભજનોના કારણે કરોડો વ્યક્તિઓના હ્રદયમાં સ્થાન મેળવી ચુકી છે. “સજા દૂ ઘરકો ગુલશન સા અવધ મેં રામ આયે હૈ.” અને “કાલી કમલી વાલા મેરા યાર હે” થી ચર્ચામાં આવેલી જયા કિશોરીના ભજનોને અસંખ્ય વાર જોવાઇ ગયા છે.

Image source

ભારતના જાણીતા કથાકારોમાંની એક છે જયાજી. જે તેની કથાઓ ઉપરાંત તેના પ્રેરણાત્મક પ્રવચનના લીધે ખુબ જ ખ્યાતનામ બની ચુકી છે. જીંદગીથી કંટાળીને હારેલા વ્યક્તિઓને આસાન પદ્ધતિથી જીંદગીનો હાર્દને સમજાવી પુનઃ બેઠા કરતા વ્યક્તિઓ માટે જયા કિશોરીએ એક આશિર્વાદરૂપ છે. તેમના મધુર કંઠથી અસંખ્ય વ્યક્તિઓ તેના ચાહકો છે. જયાએ પ્રભુ કૃષ્ણની ભક્ત છે. જયાના ભજનો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયેલ છે. શ્રી કૃષ્ણને અર્પિત તેમના ભજનો ભાવ સાથે વ્યક્તિઓ ગાઈ તથા સાંભળે છે.

Image source

ભારતના રાજસ્થાનનાં ચુરૂ જીલ્લાની વતની કથાકાર તેમજ ભજનીકના નામથી પ્રસિદ્ધ છે જયા કિશોરી. બારમું પાસ કર્યા પછી તે, ભવાનીપુરમાં કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહી છે. આ જયાજી છે કે જેને રાધા સ્વરૂપ પણ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, જયાજી કલકત્તાનાં મહાદેવી બિરલા સેકન્ડરી હાઈસ્કૂલમાંથી બારમું ધોરણ પાસ કરેલ છે. ત્યા પણ તે કથા સંભળાવે છે, દૂર-દૂરથી માણસો તેને સાંભળવા માટે આવે છે.

Image source

જયા કિશોરી ૧૩ જુલાઇ ૧૯૯૫માં રાજસ્થાનમાં જન્મી છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા તથા માતાનું નામ સોનિયા શર્મા છે. જયા કિશોરી ફક્ત ૭ વર્ષની વયથી આધ્યાત્મના રસ્તે વળી ચુક્યા છે. જયા કિશોરી શિવ સ્તોત્ર, સુંદરકાંડ, મેરે કાન્હા કી, શ્યામ થારો ખાટૂ પ્યાર, દીવાની મે શ્યામ કી વગેરે જેવા લોકપ્રિય આલ્બમ જાણીતા છે. જયા કિશોરીને લઇને ગૂગલ પર તેમની વય, લગ્ન જીવન, પતિ તેમજ પરિવાર પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ છે.

Image source

પ્રાપ્ત થતી માહિતી મુજબ જયા કિશોરીએ હજુ વિવાહ કર્યા નથી જો કે એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ કે તે એક સામાન્ય છોકરીની જેમ વિવાહ કરશે. તેમના પિતા પણ એ વાત કહી ચુક્યા છે કે જયા કિશોરી વૈવાહિક જીવન શરૂ કરશે. આરંભમાં જયા કિશોરીને શિક્ષણ આપનાર ગુરૂ ગોવિંદરામ મિશ્રાએ તેમને કિશોરીજીનુ ઉપનામ આપ્યુ હતુ. જયા કિશોરી તેની કથાઓ દ્વારા મળના નાણાને નારાયણ સેવા ટ્રસ્ટ ઉદયપુરમાં દાન કરી દે છે. જયા કિશોરી લાખો યુવાનોને પ્રેરણા પણ આપે છે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment