જાણો ભારત ના આઠ એવા મંદિરો વિશે કે જેની પાછળ છે વિચિત્ર વૈજ્ઞાનિક હકીકતો….

મિત્રો, મંદિરો એ એવુ સ્થાન છે કે જ્યા લોકો ઈશ્વરનું પૂજન-અર્ચન કરે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ હિંદુ મંદિરોના નિર્માણ પાછળ માત્ર આધ્યાત્મિક અભિગમ જ નથી પરંતુ, તેના નિર્માણમા અનેકવિધ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. આ હિન્દુ મંદિરો એ સ્થાન છે કે, જ્યા વિજ્ઞાન એ આધ્યાત્મિકતા ને પરિપૂર્ણ કરે છે. આજે અ લેખમા અમે તમને મંદિર સાથે જોડાયેલા અમુક વૈજ્ઞાનિક તથ્યો વિશે જણાવીશુ.

Image Source

આપણે મંદિર ની બહાર ચપ્પલ શા માટે ઉતારીએ છીએ?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિન્દુ મંદિરમાં પ્રવેશતા પહેલા શા માટે આપણા બૂટ કે ચપ્પલ ઉતારીએ છીએ? મંદિરો એ એવા સ્થાન છે કે જ્યા શુદ્ધ ઉર્જાનો સંચાર થતો હોય છે. અહી પ્રવેશ કરતા પહેલા બૂટ કે ચપ્પલ ઉતારીને ત્યારબાદ અંદર જવાથી તમારા પગના તળિયા આ પાવન જગ્યાના સીધા સંપર્કમા આવે છે અને અહીની શુદ્ધ ઉર્જા તમારા શરીરમાં પ્રવેશે છે અને તે તમારા દરેક તાણને દૂર કરે છે તથા તમારા મનને શાંત રાખે છે.

Image Source

મંદિરમા પ્રવેશીને ઘંટ શા માટે વગાડવામા આવે છે?

જ્યારે તમે મંદિરમા પ્રવેશો છો ત્યારે તમે એક ઘંટ અવશ્ય જોયો હશે. જયારે તમે મંદિરમા આ ઘંટ વગાડો છો ત્યારે તેના સ્વર માત્રથી તમારા મગજ ની તમામ ઇન્દ્રિયો સતેજ અને સક્રિય થઇ જાય છે અને તમારુ મન નવા વિચારો માટે ખુલશે.

Image Source

પૂજાની આરતીમા કપૂર શા માટે સળગાવવામા આવે છે?

જ્યારે તમે મંદિરમા પ્રવેશો છો ત્યારે તમે ભગવાનની પ્રતિમા સામે જઈને આંખો બંધ કરીને પ્રાર્થના કરો છો. આ સમયે તમારી આંખોની ચારેય તરફ અંધકાર છવાઈ જાય છે. આ અંધકારને દૂર કરવા માટે પૂજાની આરતીમા કપૂર નો દીવડો સળગાવવામા આવે છે. તે તમારા મનના અંધકાર ને દૂર કરવામા તમારી સહાયતા કરે છે.

Image Source

આપણે ભગવાન ને પુષ્પ શા માટે અર્પણ કરીએ છીએ?

આપણે અવારનવાર મંદિરે જઈને ભગવાનને પુષ્પ અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ, તે પાછળનુ વાસ્તવિક કારણ નથી જાણતા. આ પુષ્પોની સુગંધ એ અત્યંત સુખદ અને મનમોહક હોય છે, તે તમારા મનને એક આહલાદક શાંતિ ની અનુભૂતિ કરાવે છે.

Image Source

મંદિરો ની આસપાસ પ્રદક્ષિણા શા માટે કરવામા આવે છે?

મંદિરો ની આસપાસ પ્રદક્ષિણા કરવા પાછળ એક ગાઢ હેતુ છુપાયેલો છે. જ્યારે તમે મંદિરમા પ્રવેશીને ઘંટ વગાડો છો અને ત્યારબાદ પ્રભુ ની સામે બે હાથ જોડીને પ્રાર્થના કરતા સમયે કપૂર નો દીવડો પ્રજ્વલિત કરીને આરતી કરો છો તથા પ્રભુને પુષ્પ ચડાવો છો તો તેના કારણે આસપાસ ભરપૂર પ્રમાણમા સકારાત્મક ઉર્જાનુ નિર્માણ થઇ જાય છે.માટે જો તમે આ મંદિરની આસપાસ પ્રદક્ષિણા કરો તો તેના લીધે આ સકારાત્મક ઉર્જા તમારી અંદર સમાઈ જાય છે અને તેના કારણે તમારી પાંચેય ઇન્દ્રિયો પણ સક્રિય થઇ જાય છે.

Image Source

શા માટે માથા પર તિલક લગાવવામા આવે છે?

તમે જોયુ હશે કે મંદિરના પૂજારીઓ એ ભક્તોના કપાળ પર તિલક લગાવે છે તે પાછળ પણ એક રહસ્યમયી કારણ છે. કપાળ નો આ ભાગ એ શક્તિનુ મુખ્ય કેન્દ્ર ધરાવે છે. અહી તિલક લગાવવાથી મનુષ્યના શરીરમા ભરપૂર પ્રમાણમા ઉર્જા નો સંચાર થાય છે અને તેમનુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ  “જીગલો ગુજરાતી”  લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment