માધુરી દિક્ષિતની ગ્લોઇંગ સ્કીન નુ આ છે રહસ્ય, તમે પણ અજમાવો આ ટ્રીક્સ

મિત્રો, માધુરી દીક્ષિત આજે ભલે વૃદ્ધ થઈ રહી છે પરંતુ, તે હજુ પણ એકદમ યુવા, સુંદર અને આકર્ષક દેખાઈ રહી છે. તે આ બધી બાબતો માટે પોતાના સ્વાસ્થ્ય અને પોતાની ત્વચાની વિશેષ કાળજી લે છે. તે હંમેશા પોતાની ત્વચા માટે પ્રાકૃતિક વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તેણી તેની દિનચર્યા વિશે ખૂબ જ ગંભીર છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ડેઈલી રૂટીન સાથે સંકળાયેલી અનેકવિધ વસ્તુઓ અંગેની માહિતી શેર કરતી રહેતી હોય છે. જેને આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

image source

આ અભિનેત્રી આજે પણ તેની અભિનય ,અદા અને તેની સુંદરતા માટે જાણીતી છે. ભલે તે વૃદ્ધ થઈ રહી છે, પરંતુ તે હાલ વૃદ્ધાવસ્થામા પણ યુવા જેવી ચમક સ્કીન પર ધરાવી રહી છે. તે આ માટે પોતાની જાતની ખૂબ જ કાળજી લે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, માધુરીની ચમકતી ત્વચા પાછળનુ વાસ્તવિક રહસ્ય શું છે?

image source

આ પણ વાંચો: બાળપણ મા જ પિતાનુ અવસાન, ચા ની દુકાન પર વાસણ ધોયા, હવે એલોવેરાની ખેતીથી મહિને કમાય છે લાખો રૂપિયા

તણાવમુક્ત રહેવુ :

આ અભિનેત્રી કહે છે કે, જ્યારે તમે તણાવ લેશો ત્યારે તેની અસર સીધી તમારી ત્વચા પર પડે છે. તેથી તણાવ લેવાનુ ટાળો અને સૂતા પહેલા થોડીવાર માટે ધ્યાનની મુદ્રામા બેસો જેથી, તમે તણાવમુક્ત રહી શકો છો. ધ્યાન એ તમારા મનને સ્થિર કરે છે. મેડિટેશન માટે સવારનો સમય એ ખુબ જ શ્રેષ્ઠ સાબિત થાય છે.

image source

ગુલાબજળ :

રાત્રે સુતા પહેલા ટોનર લગાવવુ એ અત્યંત આવશ્યક છે. રોજ રાતે સુતા પહેલા હંમેશા ચહેરો ધોઈ લો અને ચહેરો ધોયા પછી હળવા હાથે તેના પર ગુલાબજળ લગાવો. આ એક આયુર્વેદિક ટોનર છે. જો તમે ઇચ્છો તો તમે તમારી પસંદગીના ટોનરનો ઉપયોગ પણ કરી શકો છો.

image source

વિટામિન-સી સીરમ :

વિટામિન-સી એ ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારી ત્વચા પર વિટામિન-સી સીરમ લગાવો તો તમે સ્કીનમા રહેલા રીન્ક્લ્સને મટાડી તમારી ત્વચાને સુંદર અને આકર્ષક બનાવે છે. તમે વિટામિન-સી સીરમ બહારથી ખરીદી શકો છો. બજારમા અનેકવિધ પ્રકારના વિટામિન-સી સીરમ ઉપલબ્ધ હોય છે.

image source

આરોગ્યપ્રદ ભોજન :

જો તમે તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તે મહત્વનુ છે કે, તમે તમારા આહારને સારી રીતે ધોઈ અને ત્યારબાદ જ તેનુ સેવન કરવુ. આ ઉપરાંત દૈનિક આહારમા વધુ પડતા ફળોનો સમાવેશ કરો. દરેક ઋતુ પ્રમાણે ફળોનુ સેવન અવશ્યપણે કરવુ જોઈએ જેથી, શરીરમા ભરપૂર પ્રમાણમા ઉર્જા મળી રહે. આ સિવાય દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પીવો. પાણી એ શરીર માટે શ્રેષ્ઠ પીણુ મનાય છે, તે તમારી બોડીના ઝેરી તત્વોને બહાર કાઢીને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખે છે.

image source

આ પણ વાંચો: બર્ડ ફ્લૂના પ્રકોપમાં નોનવેજ ખાઈને ના લેશો જોખમ, આ આંઠ વસ્તુઓમાં ચિકન અને ઇંડા કરતાં પણ વધારે પ્રોટીન હોય છે

આ પણ વાંચો: નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…

આ પણ વાંચો: જો તમે પણ રહેવા માંગતા હોય હેલ્ધી, તો આવી રીતે બ્લડ પ્રેસરને રાખો કંટ્રોલમાં

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment