જો તમે ઠંડીની મૌસમમા વધારવા ઈચ્છો છો તમારી ઈમ્યુનીટી, તો આ એકટીવીટી બની શકે છે તમને મદદરૂપ.

મિત્રો, વૈદ્ય ના જણાવ્યા મુજબ ઈમ્યુનીટી વધારવા માટે તમે અનેકવિધ પ્રકારની કસરત કરી શકો છો પરંતુ, આયુર્વેદમા તેનો પણ એક નિયમ છે કે, કસરત કેટલી કરવી. આયુર્વેદના સિદ્ધાંત મુજબ તમારી અડધી તાકાત વપરાય એટલો જ વ્યાયામ કરવો જોઈએ. જો કે, તમને કેવી રીતે ખબર પડે કે તમારી અડધી એનર્જી વપરાઈ ગઈ છે. ધારો કે, તમે મોર્નિંગ વૉક કરવા જાવ છો કે જીમમા વ્યાયામ કરો છો તો તેના માટે નક્કી નથી હોતુ કે કેટલા સમય સુધી કરવી?

Image Source

આયુર્વેદમા એવુ જણાવવામા આવ્યુ છે કે, સામાન્ય માણસે પોતાની ક્ષમતા પ્રમાણે અડધી એનર્જી વપરાય એટલો વ્યાયામ કરવો. જ્યારે કપાળ કે બોચી અને બગલમા પરસેવો થાય ત્યારે સમજી જવુ કે તમારી અડધી તાકાત વપરાઈ ગઈ છે એટલે પ્રકૃતિ પ્રમાણે માણસે વ્યાયામ કરવુ જોઈએ. કયો વ્યાયામ કરવો અને કેટલા પ્રમાણમા વ્યાયામ કરવો એ માણસની પ્રકૃતિ પ્રમાણે નક્કી થવુ જોઈએ.

Image Source

ઈમ્યુનીટી વધારવા માટેની આ વસ્તુઓ :

મસાજ અથવા માલિશ :

શિયાળાની ઋતુમા સૌથી મહત્ત્વપૂર્ણ વાત હોય તો એ છે મસાજ. આ ઠંડી ની ઋતુમા નિયમિત મસાજ કરવી જોઈએ, તે કોરોના ની સમસ્યા સામે આપણને રક્ષણ પણ આપશે. નિયમિત માણસે એની પ્રકૃતિ પ્રમાણે નવશેકુ તેલ લઈને ઓછામા ઓછી ૨૦ મિનિટ સુધી સાબુ ઘસતા હોય તે રીતે માલિશ કરવી જોઈએ.

Image Source

નાસ :

હાલ, કોરોના ની સમસ્યા ના કારણે માસ્ક ફરજિયાત પહેરવાના હોવાથી ધૂળ, રજકણથી તો તમને રક્ષણ મળશે તેમછતા પણ નાસ લેવા જોઈએ. ગરમ પાણીમા અજમો નાખીને નાસ લેવા જોઈએ. અજમો પણ એન્ટિવાયરલ થી ભરપૂર છે. તે કોરોનાકાળમાં સૌથી વધારે અસરકારક સાબિત થાય છે.

Image Source

એલોવેરા :

એલોવેરા નો છોડ પણ ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તે ફાર્મેલ્ડિડાઈડ જેવા હાનિકારક ગેસની સમસ્યાને દૂર કરે છે.

Image Source

એરેકા પામ :

ઓ છોડને લિવિંગ રૂમ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. તે હવામાંથી ફાર્મેલ્ડિહાઈડ , કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગેસને દૂર કરીને શુદ્ધ ઓક્સિજન આપે છે, તે તમારા સ્વાસ્થ્ય ને મજબુત બનાવે છે.

Image Source

મની પ્લાન્ટ :

મોટાભાગના ઘરમાં મની પ્લાન્ટ જોવા મળે છે. તે હવાને શુદ્ધ કરવામા અસરકારક સાબિત થાય છે. તે સરળતાથી ગમે ત્યાંથી મળી જાય છે. તે ઘરમાં ઓક્સિજનની માત્રા વધારે છે અને તમારા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખે છે.

Image Source

ગરબેરા ડેઝી :

ચમકતા પુષ્પોવાળા આ છોડ હવાને એકદમ શુદ્ધ કરે છે. તે ઘણા રસાયાણિક તત્ત્વો ને ઘરની બહાર નીકાળે છે. તેને તમે તમારા બેડરૂમમાં પણ લગાવી શકો છો.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment