ધાર્મિક

ઘરમા સાવરણી નો ઉપયોગ કરતા સમયે ક્યારેય ભૂલથી પણ ન થવી જોઈએ આવી ભૂલો, નહીતર થશે આવક પર માઠી અસર

મિત્રો, ઘર હોય કે ઓફીસ બંને જગ્યાએ સાવરણી એ એક ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેને દેવીમાતા લક્ષ્મી નુ પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ, શુ તમે ક્યારેય એવુ જોયુ છે કે, સાવરણી ને કારણે ઘરમા અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. વાસ્તુ મુજબ જો તમે સાવરણી રાખવામા કાળજી ના લો તો ઘર ની સંપૂર્ણ બરકત દૂર થઈ જાય છે.

Image Source

ના કરો તૂટેલી સાવરણી નો ઉપયોગ :

ઘણી વખત લોકો સાવરણી તૂટી જાય તો પણ તેનો ઉપયોગ કરે છે. વાસ્તુશાસ્ત્ર ના દ્રષ્ટિકોણથી તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે. સાવરણી તૂટી જાય, તે પછી તેની સળીઓને ફરી જોડીને ઉપયોગ કરવો અશુભ છે.

Image Source

ના રાખો અલમારી કે તિજોરી પાસે સાવરણી :

તમારી અલમારી અથવા લોકર ની નીચે અથવા તો બાજુમા ક્યારેય પણ સાવરણી ના રાખવી. આ કાર્ય કરવાથી તમારા વ્યવસાય અને સંપત્તિ પર ખરાબ અસર થાય છે.

Image Source

ઘર અને ઓફિસમા ના રાખો ઉભી સાવરણી :

ઘર કે ઓફિસમા ક્યારેય પણ ઉભી સાવરણી ના રાખવી જોઈએ, તે ખૂબ જ અશુભ માનવામા આવે છે. સાવરણી હંમેશાં જમીન પર રાખો નહિતર તમારે તમારા જીવનમા આર્થિક નાણાભીડ ની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Image Source

સાંજ ના સમયે ઘરમા સાવરણીથી ના કાઢવો કચરો :

સૂર્યાસ્ત સમયે ઘરમા સાવરણી થી કચરો વાળવો વાસ્તુ ની દ્રષ્ટીએ અશુભ માનવામા આવે છે. જો તમે આ કાર્ય કરો છો તો માતા લક્ષ્મી તમારાથી ખુબ જ ક્રોધિત થાય છે તેથી, તમારે ક્યારેય પણ સાંજના સમયે અથવા તો રાતના સમયે ઘર અથવા ઓફિસની સફાઈ ના કરવી.

Image Source

પશ્ચિમ દિશામા સાવરણી રાખવુ ગણાય છે શુભ :

જો તમે તમારા ઘરમા પશ્ચિમ દિશામા રાખો છો સાવરણી તો તે ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો આ દિશામા સાવરણી રાખવામા આવે તો ઘરમા ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી.

Image Source

સાવરણી પર ના મુકવો ક્યારેય પણ પગ :

સાવરણીમા દેવીમાતા લક્ષ્મી વાસ કરે છે એવુ લોકો માને છે. તેથી, એ વાત ને હંમેશા ધ્યાને લેવી કે તમારો પગ ક્યારેય તેના પર ના પડે. તે દેવીમાતા લક્ષ્મી નુ અપમાન ગણાય છે અને માતા લક્ષ્મીના અપમાન ના કારણે ઘરમાં અનેકવિધ પ્રકારની આર્થિક સમસ્યાઓ આવી શકે છે.

Image Source

નવી સાવરણી નો કરવો ઉપયોગ :

જો તમે તમારા ઘર અથવા ઓફિસમાં વપરાયેલી સાવરણી ને બદલવા માંગતા હોવ તો શનિવાર આ માટે શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.

Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.