સ્વાસ્થ્ય

નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા

નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ૫૦ વર્ષની ઉમર પછી કોઈ પણ વ્યક્તિએ આહારમાં શું ફેરફાર કરવો જોઈએ. અમને મળતી માહિતી મુજબ બ્રિટીશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન દ્વારા કહેવામાં આવે છે કે ૫૦ વર્ષની ઉમર પછીના વ્યક્તિઓમાં તેમની મેટાબોલિક સિસ્ટમએ ૨૦ વર્ષના વ્યક્તિ કરતા ઘણી ધીમી હોય છે. જેથી મોટી ઉમરના વ્યક્તિઓએ ફિટ રહેવા માટે ખૂબ ઓછી કેલરીવાળા ખોરાકની જરૂર હોય છે. વૃદ્ધાવસ્થા આવતાની સાથે સાથે હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીઝ અને પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યા પણ વધે છે. નિષ્ણાતો કહે છે કે ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિના ખોરાકમાં તંદુરસ્ત આહારના સેવનથી, આવા રોગોનું જોખમ ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ આવા આહાર વિશેની માહિતી વિષે.

ચરબીયુક્ત માછલી:

ચરબીયુક્ત માછલી જેવી કે સલમોન તેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ એસિડ શરીરના આંતરડામાં ઉદ્ભવતી જલનની સમસ્યાને ઘટાડે છે સાથે સાથે રક્તકણોના સ્તરને જાળવી રાખે છે. આનાથી શરીરમાં કોલેસ્ટરોલની માત્રા જળવાય રહે છે અને આંતરડામાં થતી જલનની સમસ્યા ઓછી થાય છે. તેનાથી આંતરડાના કેન્સરનું જોખમ ઘટે છે.

image source

ઇંડા:

આપણે સૌ જાણીએ છીએ કે વધતી ઉંમરની સાથે માનવ શરીરના સ્નાયુઓ નબળા પડવા લાગે છે. ઇંડા એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે જેના સેવનથી આપણા સ્નાયુઓને નબળા પડતા અટકે છે. ઇંડામાં શરીર માટે જરૂરી વિટામિન-ડી અને ઓમેગા-3 ફેટી એસિડ પણ મળે છે. તેમાં કોલીન નામનું એક વિશિષ્ટ પોષક તત્વ છે જે આપણા જનીનને નિયમિત કરવામાં ઉપયોગી છે.

image source

એવોકાડો:

હાલ ના સમયમાં વ્યક્તિઓમાં કોલેસ્ટરોલની સમસ્યા બહુ વધી રહી છે. તેને નિયંત્રિત કરવા માટે તમે હેલ્ધી ફૂડ એવા એવોકાડોનો ઉપયોગ કરી શકો છો. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા તેમજ હૃદયરોગના જોખમોને ઓછા કરવામાં ખૂબ લાભકારક છે. વજન ઘટાડવા માટે અને શરીરમાં થતી જલનની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ તે ખૂબ લાભકારક છે.

image source

બ્લુબેરી અથવા સ્ટ્રોબેરી:

તમને ના ખબર હોય તો અમેં જણાવી દઈએ કે બેરીઝને ફાઇબરનો શ્રેષ્ઠ સ્રોત ગણવામાં આવે છે. આ એક એવું પોષકતત્વ છે કે જે આપણા વજનને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો આપણા શરીરના કોષોને થતાં નુકસાન તેમજ ત્વચા, મૂત્રાશય, ફેફસાં અને ગળાના કેન્સરના જોખમથી પણ રક્ષણ આપે છે. તમે તેનું સેવન કચુંબર કે દહીં સાથે કરી શકો છો.

image source

બદામ અને અખરોટ:

ઘરડા વ્યક્તિઓ માટે બદામ અને અખરોટને ખૂબજ આરોગ્યપ્રદાન કરનાર ગણવામાં આવે છે. બદામએ શરીરના હાડકાંને મજબૂતાઈ આપે છે તેમાં પ્રોટીન અને આરોગ્યપ્રદાન કરનાર ફેટ હોય છે. બદામની સાથે અખરોટ પણ આહારમાં શરીરને ફાઇબર પ્રદાન કરનાર એક અમુલ્ય સ્રોત છે. જે ચરબીને નિયંત્રણમાં રાખનાર જીન્સને સક્રિય રાખે છે. બાદમએ આપણા મગજ માટે પણ શ્રેષ્ઠ છે. અત્યારના સમયમાં દરેક લોકોએ દરરોજ અંદાજીત ૬ થી ૧૦ બદામ અને ૩ થી ૫ અખરોટ ખાવા જ જોઈએ.

image source

બીટરૂટ:

ધેર્યશક્તિ વધારવાની સાથે બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા તેમજ હૃદયને સ્વસ્થ રાખવા માટે બીટરૂટનું સેવન જરૂર છે કારણ કે તેમાં નાઇટ્રેટ નામનું પોષકતત્વ આવેલું છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને સાથે સાથે શરીરમાંથી વધારે માત્રામાં જો ક્ષાર હોય તો તેને બહાર નીકાળે છે જેથી શરીરમાંથી બગાડ દુર થાય છે.

image source

આહાર સિવાય શું કરવું:

જો ઉમરની સાથે સાથે વજન પણ વધે તો હૃદયરોગ થવાનું જોખમ રહે છે. તેથી આહારની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ જેવી કે ઉમર પ્રમાણે કરી શકાય તેવી હળવી કસરત કરવી જોઈએ. દારૂ અને સિગારેટથી દૂર રહેવું જોઈએ તેનું સેવનના કરવું જોઈએ. શરીરને દરરોજની ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ આપો.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.