ધાર્મિક

સુર્યદેવ અને શનિની કૃપાથી થશે પુત્ર પ્રાપ્તિ કરો મકર સંક્રાંતિ પર આ વિશેષ ઉપાય

મિત્રો, મકરસંક્રાંતિ પર આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં જ્યારે ભગવાન સુર્યદેવ પ્રવેશ કરે છે મતલબ કે જ્યારે પુત્રના ઘરે પિતા આવે છે ત્યારે તેઓ પુત્રને ધન પ્રાપ્તિના આશીર્વાદ આપશે. મકરસંક્રાંતિના દિવસે તમારે ખાસ કરીને સુર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન સુર્યદેવ એવા લોકોના ઘરમાં કે જેમને બાળક નથી અથવા પુત્ર મેળવવા ઇચ્છતા યુગલોને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપશે. દરેક મકરસંક્રાંતિ ઉપર ભગવાન સુર્યદેવ અને ભગવાન શનિદેવએ વ્યક્તિઓની પુત્ર, ધન, કીર્તિ, વૈભવ, માન-સન્માન, સરકારી નોકરીઓ જેવી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે એક શુભ સંયોગ બની રહી છે. તો ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર તમારી ઇચ્છાઓ પૂરી કરવાના ઉપાયો વિશે.

image source

પુજાની સામગ્રી:

મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તમે લાલ આસનને ભગવાન સૂર્યદેવની પ્રતિમા અથવા ફોટોની સામે મુકો અને એક થાળીમાં રોલી, મૌલી, લવિંગ, હળદર, કેસર, દૂધ, ઘી અને તાંબાના લોટામાં ગંગાજળ અને શુદ્ધ પાણી ભરો. પછી તમે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને કોઈ એક મીઠાઈ પુજામા રાખી દો.

image source

પુજાની વિધિ:

બધી સામગ્રી લઈને તમારે ભગવાન સૂર્યદેવની તરફ મુખ રાખીને બેસી જવું અને ગંગાજળવાળા લોટામાં થોડા તલ અને ચોખા નાખો. ત્યારબાદ તેમાં શાકર, રોલી ઉમેરો અને લાલ ફૂલને તેમાં નાખો. લોટામાં થોડું ઘી અને એક ચમચી દૂધ ઉમેરો. આ બધી સામગ્રી લોટામાં મૂકીને તમારે ભગવાન સૂર્યદેવ તરફ પોતાનું મુખ રાખીને તેમને જળ અપર્ણ એટલે કે અર્ધ્ય આપવું જોઈએ. પરંતુ એ ધ્યાનમાં રાખો કે અર્ધ્યનું પાણી જમીન પર ના પડવું જોઈએ અને સૂર્ય મંત્રનો યોગ્ય જાપ કરો.

image source

મંત્ર:

ઓમ સૂર્યાય નમઃ
ઓમ ભાસ્કરાય નમઃ

સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તમારે ત્રણ માળા સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી તમારે પીપળના વૃક્ષના મૂળમાં દેશી ઘીનો દીવો પ્રગટાવવો. પછી મૌલીને આ વૃક્ષની ફરતે વીંટી દો ત્યારબાદ તમારે આ વૃક્ષને તમારી ઇચ્છા જણાવવી અને લવિંગને પણ દીવામાં મૂકી દો. પછી તમે તમારા પિતૃઓના નામથી કંઈક વસ્તુઓનું દાન કરવું સાથે જ તેમના તર્પણ માટે પ્રાથના કરવી. આ ઉપાયથી તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.