ધાર્મિક

લાંબા આયુષ્ય માટે ભીષ્મ પિતામાહ ની આ વાતો ને કાયમી માટે રાખો યાદ

પ્રત્યેક માનવી તંદુરસ્ત તથા લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય છે. પણ આજની તણાવ ભરેલ તથા ઝડપી જીવનશૈલીમાં જીવન નાનુ થઈ ગયુ છે. માનવી એકાએક જ કાળના મુખમા સમાય જાય છે. આવામા જો તમે મહાભારતના ભીષ્મ પિતાએ સુચવેલા શ્લોકોનુ પાલન કરો, તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો. તો ચાલો જાણીએ ઈચ્છા મૃત્યુના આશીર્વાદની સાથે શતાબ્દીઓ સુધી જીવંત રહેનાર ભીષ્મ પિતામહના જીવન સાથે સંબંધિત વિચારો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવાના ઉપાય વિશે.


Image source

જીવનનો ત્યાગ ન કરવો :

“એતા બુદ્ધિં સમાંસ્થય જીવિતત્યં સદા ભવેત્।
જીવન્ પુણ્યમવાપ્નોતિ પુરુષો ભદ્રમશ્નુતે॥“

ભીષ્મ પિતા ઉપર આપેલ શ્લોકના માધ્યમ વડે કહે છે કે પુણ્ય ભેગુ કરવુ આવશ્યક છે. પણ જે વ્યક્તિ જીવંત રહે છે તે પુણ્ય ભેગુ કરે છે. તેનાથી વયમા વધારો થાય છે. તેથી વ્યક્તિએ ક્યારે પણ જીવનનો ત્યાગ કરવો જોઈએ નહી. અહીં ભીષ્મ પિતાએ એ જણાવ્યુ છે કે કોઈએ પોતાના જીવનથી નિરાશ ન થવુ જોઈએ તથા આત્મહત્યાનો વિચાર ક્યારેય પણ મનમા ન લાવવો જોઈએ.


Image source

જે પણ કરવુ પડે તે અવશ્ય કરવુ જોઈએ :

“યથા યથૈવ જીવેદ્વિ તત્કર્તવ્યમહેલયા।
જીવિતં મરણાચ્છેયો જીવન્ધર્મમવાપ્નુયાત્॥“

ભીષ્મ પિતા ઉપર જણાવેલ શ્લોકો વડે કહે છે કે તેમણે જીવન ટકાવી રાખવા માટે જે કરવુ આવશ્યક છે તે અવશ્ય કરવુ. મૃત્યુથી જીવન સારુ છે. તેથી તમારે જીવવા માટે જે કાર્ય કરવાનુ છે તે તમારે ચોક્કસ કરવુ. પણ જો સારા કામો થાય તેનો ખ્યાલ રાખવો. તે ધર્મ પણ મળે તેમજ જીવન પણ સારી રીતે ચાલે છે. તેથી જો તમારે લાંબું આયુષ્ય ઈચ્છતા હોવ તો પછી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં જીવવાની આશા છોડવી નહી.


Image source

આચારથી લાંબુ આયુષ્ય :

“આચારાલ્લભતે હ્યાયુરાચારાલ્લભતે શ્રિયમ્।
આચારાત્કીર્તિમાપ્નોતિઃ પુરુષઃ પ્રેત્ય ચેહ ચ ॥“

ઉપર જણાવેલ શ્લોક વડે ભીષ્મ પિતામહ જણાવે છે કે નીતિશાસ્ત્ર મારફત જે માણસને લાંબુ આયુષ્ય મળે છે. તેના લીધે માનવીને સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ભિષ્મ પિતા વધુમા જણાવે છે કે ફક્ત સારા આચરણ વડે જ આ જગત અને પરલોકમા નામના મળે છે. આથી લાંબુ આયુષ્ય મેળવવા માટે માનવીએ પોતાનુ વર્તન સારુ રાખવુ હિતાવહ છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.