સ્વાસ્થ્ય

ફુદિનો ખાલી ચટણી માટે જ નહી પરંતુ દુર કરે છે આવા અઢળક રોગ…

ચટણી બનાવતા સમયે મોટેભાગે ફુદિના નો ઉપયોગ થતો હોય છે અને તે એક ખુબ જ જાણીતી ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદિનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદિનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદિનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે. જે ઘરમાં સતત ફુદિના ની સુગંધ આવતી હોય ત્યાંથી વાયુ કે શરદી ઊભી પૂંછડીએ ભાગે છે.


Image source

ફુદિનો અપચાને મટાડે છે. તેના રસના સેવનથી કફ ના બાજી ગયેલા જાળા તૂટી જઇ સસણી અને દમના દર્દોમાં રાહત મળે છે. ફુદિનો સ્વાદવાળો, રૂચીકર, ગરમ, વાયુ તથા કફનો નાશક તથા મળ મૂત્રનો અટકાવ કરનાર છે. એ ઉધરસ, અજીર્ણ, સંગ્રહણી, અતિસાર, કોલેરા અને કૃમિનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે અને પાચનશક્તિ વધારે છે. તે પિત કરનાર અને બગડેલું ધાવણ સુધારનાર છે.


Image source

ફૂદીના ના ઔષધિય લાભ:

ફોદીનો, તુલસી, મરી, અદરક વગેરેનો ઉકાળો પીવાથી વાયુ દૂર થાય છે અને ભૂખ ખૂબ લાગે છે. ફોદીનાનો તાજો રસ અથવા અર્ક કફ-શરદીમાં તેમજ મગજ ની શરદી માટે અતિ ઉપયોગી છે. ફોદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજીંદો જ્વર મટે છે. ફોદીનાનો અને અદરકનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો જ્વર મટે છે.


Image source

ફોદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડા ની ખરાબી અને પેટના દર્દો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરિયાદ વાળા દર્દીઓ માટે ફોદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. ફોદીનાનો રસ પીવાથી ઉધરસ, ઊલટી, અતિસાર અને કોલેરામાં લાભ થાય છે. વાયુ અને કૃમિ મટે છે. કોલેરાનો વાવર ચાલતો હોય ત્યારે તેનું શરબત પીવું પણ સારું છે. ફોદીનાનો રસ અડધો તોલો, અદરકનો રસ અડધો તોલો લઈ તેમાં સિંધવ એક માસો નાખીને પીવડાવવાથી પેટના દર્દો મટે છે. ફૂદીનાના રસના ટીપા નાકમાં પાડવાથી સળેખમમાં લાભ કરે છે.


Image source

ફોદીનાનો રસ પીવાથી કે તેમના પાન ખાવાથી વીંછી કરડ્યો હોય તો તેમાં રાહત થાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફોદીનામાં વીટામીન ‘એ’ વધારે પ્રમાણમાં છે, વિટામિન ની દ્રષ્ટિએ તો ફોદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. ફોદીનામાં અજમાને મળતા સર્વે ગુણો છે. ફોદીનાના અર્કમાં પણ અજમાના અર્કને મળતા બધા ગુણો છે. સલાડમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગ, પાયરિયા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે રોગો દૂર થાય છે.


Image source

એક ગ્લાસ પાણીમાં ફોદીનાના 4-5 પાંદડા ઉકાળો. ઠંડુ થવા ફ્રીઝમાં મૂકો. આ પાણીથી કોગળા કરવાથી મોઢાની વાસ દૂર થાય છે. ફોદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફોદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.ફોદીનો કીટાણુનાશક હોય છે. જો ઘરની ચારે તરફ ફોદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે.ફોદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.


Image source

પાણીમાં ફોદીનો, લીંબુનો રસ અને સંચળ નાંખી પીવાથી મેલેરિયામાં રાહત મળે છે. હેડકીની ફરિયાદ હોય તેમણે ફૂદીના પાન ચૂસવા કે તેના રસને મધ સાથે લેવાથી રાહત મળશે. ફોદીનાની ચામાં બે ચપટી નમક નાંખી પીવાથી ખાંસીમાં લાભ મળે છે. ફોદીનાના પાનને પીસીને મધ સાથે મિક્ષ કરી દિવસમાં ત્રણવાર ચાટવાથી અતિસારમાં રાહત મળે છે.


Image source

કોલેરામાં ફોદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્ષ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાક ના સમય ગાળા પર દર્દી ને પીવડાવો. ફોદીના નો તાજો રસ મધ ની સાથે પીવાથી જ્વર દૂર થાય છે તથા ન્યૂમોનિયાથી થનારા વિકારનો પણ નાશ થાય છે.પેટમાં અચાનક દુખવા આવે તો અદરક અને ફોદીનાના રસમાં સીંધવ નમક નાંખી પીવાથી લાભ થશે.નાક માંથી વધારે રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે ડુંગળી અને ફોદીનાનો રસ મિક્ષ કરી નાકમાં નાંખવાથી દર્દી ને આરામ થશે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.