દુનિયાની સૌથી અનોખી ઘડિયાળ કે જેમાં નથી થતા ક્યારેય ૧૨, જાણો તેણી પાછળ શું છે રહસ્ય

મિત્રો,આ દુનિયામાં ઘણી એવી અજીબો ગરીબ જગ્યાઓ, વસ્તુઓ તેમજ ચીજો છે જે આપણને વિચારવા માટે મજબુર કરી દેતા હોય છે. આજે આપણે આવા જ એક ચીજની વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ તેના વિષે. આપણે સૌ જાણીએ છીએ કે ઘડિયાળમાં ૧૨ વાગ્યાને લઈ ને ઘણાં મુહાવરાઓ પ્રસિદ્ધ છે. જેમ કે કોઈના ચહેરા પર ૧૨ વાગ્યા ગયાની વાત પણ કેહવામાં આવે છે. ૧૨ના અંકને લઈને એક ઘડિયાળ પણ છે જે ૧૨ના અંકથી બચે છે. એટલે કે આ ઘડિયાળમાં ક્યારેય ૧૨ નથી વાગતા. હકીકતમાં આવી એક ઘડિયાળ છે જેને વિષે તમે જાણશો તો આશ્ચર્યચકિતથાય વિના નહિ રહી શકો..

image source

આ વિચિત્ર ઘડિયાળ વિશે જાણવા માટે તમારે સ્વિટ્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરની મુલાકાત લેવી પડશે. અહિયાં આ ઘડિયાળ છે કે જ્યાં ક્યારેય ૧૨ વાગતા નથી. આ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરના ટાઉન સ્ક્વેર પર બાંધવામાં આવી છે. આ ઘડિયાળમાં ૧૨ને બદલે માત્ર ૧૧ અંક જ છે. એવું નથી કે અહિયાં માત્ર આ એક જ ઘડિયાળમાં ૧૨ નથી વાગતા પરંતુ બીજી ઘણી ઘડિયાળો છે જેમાં ૧૨ નથી વાગતા.

image source

સ્વિટ્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરની એક વિશેષતા છે કે તેમને ૧૨ અંક નથી ગમતા અને ૧૧ અંકથી લગાવ છે. માત્ર ઘડિયાળ પુરતું જ નથી, પરંતુ દરેક કાર્યમાં ૧૧ના આંકડાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વધુમાં ચર્ચ અને ચેપલની ગણતરી પણ ૧૧-૧૧ની આસપાસ જ કરવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરમાં આવેલા સેન્ટ ઉર્સુસના મુખ્ય ચર્ચમાં ૧૧ આંકડાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. ચર્ચ બનતાં ૧૧ વર્ષ લાગ્યાં અને બીજી તરફ ચર્ચની સીડીઓ પણ ત્રણ સેટમાં છે અને દરેક સેટમાં ૧૧ હરોળ હોય છે. આ ઉપરાંત ચર્ચમાં ૧૧ દરવાજા અને ૧૧ ઘંટડીઓ પણ છે.

image source

આતો વાત હતી સ્મારકો અને ધાર્મિક જગ્યાઓની. અહીં લોકો પોતાના અંગત જીવનમાં પણ ૧૧ને વધુ મહત્વ આપે છે અને લોકો ૧૧માં જન્મદિવસને ખુબ જ જબરદસ્ત રીતે ઉજવે છે. જન્મદિવસે આપવામાં આવતી ભેટમાં પણ ૧૧ નંબરને ખાસ મહત્વ આપવામાં આવે છે. શું કામ આ લોકો ૧૧ નંબરની પાછળ આટલી બધા દીવાના છે? તેની પાછળ એક પ્રાચીન માન્યતા છે કે સોલોથર્નના રહેવાસીઓ ખૂબ જ મહેનતુ હતા પરંતુ સખત મહેનત પછી પણ લોકોના જીવનમાં ગરીબી હતી આનંદ ના હતો. લાંબા સમય પછી અહિયાની ટેકરીઓ પર એલ્ફ આવવા લાગ્યા જે લોકો માટે સારું સાબિત થયું. એલ્ફ આવ્યા જ ત્યાના લોકોના જીવનમાં ખુશહાલી આવી ગઈ.

image source

એલ્ફ વિશે જર્મનીમાં પૌરાણિક કથાઓ પણ છે. જર્મન લોકો માને છે કે એલ્ફ પાસે દિવ્ય તેમજ અલૌકિક શક્તિઓ હોય છે. હકીકતમાં જર્મનીમાં એલ્ફને પણ ૧૧ સાથે જોડીને માનવામાં આવે છે. આજ કારણ છે કે સોલોથર્નના લોકો પણ એલ્ફને ૧૧ નંબર સાથે જોડીને માને છે ત્યારથી જ આની શરૂવાત થઈ છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment