સ્વાસ્થ્ય

ઠંડી ઋતુમાં કરો આ ૧૦ વસ્તુઓનું સેવન, પૂરો દિવસ રહેશો ફીટ

મિત્રો, આપણા આમ જીવનમાં દિવસમાં દરેક વ્યક્તિને ક્યારેય તો થાક લાગતો જ હોય છે. જેની અસર આપણા કામ પર પણ પડતો હોય છે. તમે શું અને ક્યારે ખાવ છો તેની અસર પણ આપણા પુરા દિવસની પ્રવૃતિઓ ઉપર પડતી હોય છે. તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ખાવા પીવાની અમુક ચીજો પોષક તત્વોની સાથે સાથે આપણા શરીરને ઉર્જા પણ પૂરી પાડે છે. તો ચાલો જાણીયે આજે આવી જ ચીજો વિષે જે આપણને પૂરો દિવસ સ્ફૂર્તિલું રહેવા માટે ઉર્જા પૂરી પાડે છે.

image source

કેળા:

આપણા શરીરમાં ઉર્જા પૂરી પાડવા માટે કેળાને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. કેળામાંથી આપણને કાર્બ્સ, પોટેશીયમ અને વિટામીન બી૬ સારી માત્રામાં મળે છે અને આ બધી વસ્તુઓ શરીરની ઉર્જાનું સ્તર વધારે છે.

image source

શક્કરીયા:

તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેમાં શરીરમાં ઉર્જા પૂરી પડવાનું કામ પણ કરે છે. એક શક્કરીયામાં ૨૫ ગ્રામ કાર્બ્સ, ૩.૧ ગ્રામ રેસા, ૨૫% મેંગેનીઝ અને સારી માત્રામાં વિટામિન એ હોય છે. શક્કરીયામાં હાજર ફાઇબર અને કાર્બ્સને પચવામાં સમય લાગે છે તેથી તે ખાધા પછી લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા રહે છે.

image source

ઇંડા:

ઇંડા શરીરમાં શક્તિનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. ઇંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે તમને દિવસભર ઉર્જા આપે છે. તેના સિવાય ઇંડામાં જોવા મળતું એમિનો એસિડ લ્યુસિન પણ શરીરમાં એનર્જી લાવે છે. ઇંડામાંથી મળતું વિટામિન બી ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું પણ કામ કરે છે.

image source

સફરજન:

સફરજનમા કાર્બ્સ અને ફાઈબર ભરપુર માત્રામાં મળે છે. મધ્યમ માપના સફરજનમા અંદાજીત ૧૪ ગ્રામ કાર્બ્સ, ૧૦ ગ્રામ સુગર અને ૨.૧ ગ્રામ રેસા હોય છે. તેમાં જોવા મળતી નેચરલ સુગર અને ફાઈબર શરીરમાં ઉર્જાના સ્તરને ધીમે ધીમે વધારવાનું કામ કરે છે અને શરીરમાં લાંબા સમય સુધી શક્તિ રહે છે. સફરજનમાં એન્ટીઓકિસડન્ટો પણ સારી માત્રામાં હોય છે જે શરીરને ઉર્જા પૂરી પાડે છે.

image source

ડાર્ક ચોકલેટ:

સાદી ચોકલેટ અને દૂધમાંથી બનેલી ચોકલેટ કરતા ડાર્ક ચોકલેટમા કોકોનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. કોકોમાંથી મળતા એન્ટીઓકિસડન્ટ લોહીની ગતિને વધારવાની સાથે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. તે મગજના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે. ડાર્ક ચોકલેટ શારીરિક થાક તેમજ માનસિક થાકથી મુક્તિ આપે છે અને વ્યક્તિને ફ્રેશ કરે છે.

image source

બીટરૂટ:

બીટરૂટ શરીરમાં એનર્જી લેવલ વધારવા માટે જાણીતું છે. બીટમાં હાજર એન્ટીઓકિસડન્ટો લોહીના પ્રવાહને તેજ કરે છે. બીટરૂટમાંથી મળતું નાઇટ્રેટ શરીરમાં નાઈટ્રિક ઓકસાઈડનું પ્રમાણ વધારે છે. આને કારણે શરીરની પેશીઓને વધુ ઓક્સિજન મળે છે અને શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે.

image source

ઓટમીલ:

ઓટમીલ એ એક સંપૂર્ણ અનાજ જ છે જે તમને લાંબા સમયની ઉર્જા પ્રદાન કરે છે. તેમાં બીટા ગ્લૂકાન નામનું ફાઇબર દ્રાવ્ય હોય છે જે પાણી સાથે મળીને શરીરમાં જાડુ જેલ જેવું બનાવે છે. પાચનતંત્રમાં આ જેલની હાજરીને લીધે આપણને જલ્દી ભૂખ નથી લાગતી. ઓટમીલ એ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે શરીરમાં ઉર્જાના સ્ત્રોતને વધારે છે.

image source

કોફી:

મોટાભાગના લોકો થાક દૂર કરવા અને મૂડ ફ્રેશ કરવા માટે કોફી પીવે છે. કોફી તરત ઉર્જા આપે છે. કોફીમાં રહેલા કેફીન આપણી નર્વસ સિસ્ટમને શાંત કરે છે. કોફી પીવાથી શરીરમાં એપિનેફ્રાઇન હોર્મોન ઉત્પન્ન થાય છે જે શરીર અને મનને સક્રિય કરે છે. કોફી પીવાથી શરીરની સુસ્તી દૂર થાય છે. જો કે તેના અતિશય સેવનથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.

image source

બ્રાઉન રાઇસ:

બ્રાઉન રાઇસમાં પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. સફેદ ચોખાની તુલનામા તે ઓછા ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અડધા કપ બ્રાઉન રાઇસમાં ૨ ગ્રામ ફાઇબર અને સારી માત્રામાં મેંગેનીઝ મળી આવે છે તે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનને ઉર્જામાં ફેરવે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ બ્રાઉન રાઇસ ઉપયોગી છે.

image source

સ્ટ્રોબેરી:

સ્ટ્રોબેરીને પણ ઉર્જા વધારનારા સારા ફળમાં માનવામાં આવે છે. સ્ટ્રોબેરી ખાવાથી શરીરને કાર્બ્સ, ફાઈબર અને સુગર મળે છે જે શરીરના ઉર્જાના સ્તરને વધુ વધારે છે. ૧ કપ સ્ટ્રોબેરીમાં 13 ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ ફાઇબર અને સારી માત્રામાં વિટામિન સી હોય છે. સ્ટ્રોબેરી ખાવાથી થાક દૂર થાય છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

 

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.